સોરઠી બહારવટિયા ભાગ-1/3. બાવા વાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 341: Line 341:
<center>''''''</center>
<center>''''''</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>'''‘<big>બાવા વાળો’ વારતાનાં પરિશિષ્ટ</big>'''</center>
<center>'''<big>1</big>'''</center>
{{Poem2Open}}
<big>મિ</big>. સી. એ. કિનકેઈડ પોતાના ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ના બીજા પ્રકરણમાં વિગતવાર લખે છે કે “રાણીંગ વાળો બહારવટે કેમ નીકળ્યો તે કથા કાઠિયાવાડી રિસાયતોની વહેલા કાળની ખટપટનો તેમ જ અધૂરા જ્ઞાનને કારણે બ્રિટિશ શાસન કેવી ભૂલો કરી બેસે છે તેનો હૂબહૂ નમૂનો પૂરો પાડે છે. રાણીંગ વાળાના બાપે બીજા વાળા કાઠીઓ સાથે ગીરમાં અ ા જમાવીને વીસાવદર અને ચેલણાનાં પરગણાં હાથ કર્યાં. સને 1782માં એ બધાએ પોતાનું રક્ષણ પ્રાપ્ત કરવા સારુ પોતાના કબજાનો અરધોઅરધ મુલક જૂનાગઢ રાજને આપી દીધો. પણ આ કાઠીઓનો પાડોશ ત્રાસરૂપ નીવડતાં નવાબે 1794માં પોતાને મળેલો આ વીસાવદર અને ચેલણાનો પ્રદેશ બાંટવા દરબારને શાદીની ભેટમાં આપી દીધો. બાંટવા દરબાર આ એકસંપીલા કાઠીઓને પૂરા ન પડી શકતા હોઈ તેણે ચાણક્યબુદ્ધિ વાપરી કાઠીઓની અંદરોઅંદર કંકાસ રોપ્યો. અને એકલા રાણીંગ વાળાને જ માત્રા વાળાની જમીન સોંપાવી દીધી, માત્રા વાળો બહારવટે નીકળ્યો, ને મલ્હારરાવ (કડીવાળા) નામના મરાઠા બંડખોર સાથે જોડાયો. પણ રાણીંગ વાળાએ મલ્હારરાવને દગલબાજીથી દૂર કર્યો, અને ગાયકવાડ સરકારની મદદથી એણે માત્રા વાળાનો બધો મુલક હાથ કરી લીધો. માત્રાએ છેવટ સુધી બહારવટું ખેડ્યું ને એના મૉત બાદ એની વિધવાએ પોતાના બાળ હરસૂર વાળા વતી કર્નલ વૉકરને અરજ હેવાલ કરી. કર્નલ વૉકરે બે ભૂલો કરી : એક તો એણે રાણીંગ વાળા પાસેથી માત્રા વાળાનો ગરાસ ખૂંચવી લઈ હરસૂરને સોંપ્યો. આ ખોટું હતું કેમ કે રાણીંગ વાળાએ તો આ મુલક બ્રિટિશ સત્તાની સ્થાપના પૂર્વે મેળવી લીધો હતો. ને બીજી ભૂલ એણે રાણીંગ વાળાને પોતાનો ભાગ પણ ખૂંચવી લઈ હરસૂર વાળાને સોંપી દેવાની કરી.
બાવા વાળાના બાપ રાણીંગ વાળાનું ચારણી બિરદ-કાવ્ય :
{{Poem2Close}}
<poem>
::બલાં આગ હલાં કરી બાબીએ હામદે
::મામલે કુંડલે ધોમ માતી,
::વાઘહરે <ref>વાઘહરે — વાઘા વાળાના પુત્રે (રાણીંગ વાળાએ).</ref> આરબાંને ઝાટકે વાંતર્યા
::રાણંગે કરી બજાર રાતી. [1]
::મસો કે’ હાય ઘર ગિયું મોરારજી!
::કાપ્ય થાણા તણી ઘાણ્ય કાઢી,
::ગોતીઓ શેરીએ મિંયા એક ના મળે
::દડા <ref>જેમ.</ref>  શેરીએ રડે દાઢી. [2]
::મોબતે ખાન રે કરી ઝટપટ મને
::(નકર) ટળી જાત દલભજી તણો ટીલો.
::અડજંતર કાંધહર કોટસું આટકત
::ઝાટકત સતારા તણો જીલો.[3]
</poem>
{{Poem2Open}}
[અર્થ : જૂનાગઢના નવાબ હામદખાન બાબીએ હલ્લો કર્યો. વાઘના પુત્ર રાણંગે આરબોને તરવારને ઝાટકે (સોપારીનો ચૂરો કરે તેમ) વાતરી નાખ્યા અને રાણંગે શહેરની બજાર (શત્રુના રક્તથી) રાતી રંગી નાખી. મસો (એ નામનો કોઈ જૂનાગઢી અમલદાર) કહે છે કે હાય હાય મોરારજી (જૂનાગઢી અધિકારી)! આ તો ઘર ગયું. આખા થાણાનો ઘાણ રાણીંગે કાઢી નાખ્યો. શેરીમાં કોઈ મિયાં (જૂનાગઢી સિપાહી) શોધ્યો જડતો નથી. અને દાઢીઓ (દાઢીદાર સિપાહીઓનાં મસ્તકો) તો શેરીઓમાં દડાની જેમ રડી રહેલ છે. મોહબતખાનના પુત્રે (નવાબે) મનમાં ઝડપ કરી. નહિતર દુલભજી તણું ટીલું ટળી જાત. (અર્થ સમજાતો નથી.) કાંધા વાળાનો વંશજ રાણંગ તો બુંદી કોટા સાથે આફળત અને સતારા જિલ્લાને તારાજ કરી નાખત.]
રાણીંગ વાળો એક પગે લૂલો હતો. ચારણે તેનો દુહો કહ્યો છે કે —
{{Poem2Close}}
<poem>
::કર જેમ કાઠીડા, પગ હત પાવરના ધણી,
::તો લેવા જાત લંકા, રાવણવાળી રાણગા.
</poem>
26,604

edits