સોરઠી બહારવટિયા ભાગ-1/5. વાલો નામોરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 354: Line 354:


રાવણહથ્થાવાળા નાથબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે :
રાવણહથ્થાવાળા નાથબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે :
{{Poem2Close}}
<poem>
::ગંઢ કાંથડના જુમલા રે વાગડને રે’વા દે!
::ચાર ભાઈઓનું જોડલું જુમા,
::પાંચમો ભાવદ પીર. — કાંથડના.
::પડાણ માગે ગંઢડા નીકળ્યા,
::લીધી વાગડની વાટ. — કાંથડના.
::ઘોડલે ચડતા ખાનને માર્યો,
::હમીરીઓ ના’વ્યો હાથ. — કાંથડના.
::પ્રાગવડ ભાંગી પટલને માર્યો,
::ચોરે ખોડ્યાં નિશાણ. — કાંથડના.
::ઝંડિયો ડુંગર ઘોડલે ઘેર્યો,
::ઘણાનો કાઢ્યો ઘાણ — કાંથડના.
::અંજારની સડકે સાધુ જમાડ્યા,
::બોલો જુમાની જે. — કાંથડના.
::પગમાં તોડો હાથમાં નેજો,
::ભાવદી ભેળો થાય. — કાંથડના.
</poem>
{{Poem2Open}}
'''મિયાણા વાલા મોવરનું બહારવટું કોઈ રાજ તરફના અન્યાયમાંથી ઊભું નહોતું થયું, પણ ઓરતોની લંપટતાથી જ પરિણમ્યું હતું. વાલો ચોરીઓ કરતો અને ચોરીના સાહસમાં જ એનો એક હાથ ઠૂંઠો થયો હતો એ વાત પણ ચોક્કસ છે.'''
{{Poem2Close}}
<center>'''જીવતાં પાત્રો જડ્યાં છે'''</center>
<center>'''[લેખકની લોકસાહિત્યની શોધનકથા ‘પરકમ્મા’માં]'''</center>
{{Poem2Open}}
[મારી ટાંચણપોથીનું] પાનું ફરે છે — મિયાણા બહારવટિયા વાલા નામોરીની મેં લખેલી કથાના કિસ્સા પૂરા પાડનાર માણસનો પતો મળે છે. સ્વ. દરબાર કાંથડ ખાચરની રાજપરાની ખળાવાડમાં એ હવાલદાર હતો. પડછંદ, સીધો સોટા સરીખો, ઘાટી સફેદ દાઢી, જબાને મૂંગો, કરડી પણ ગંભીર આંખો : ઓળખાવ્યો ત્યારે જ ખબર પડી, કે વાલા નામોરી અને મોવર સંધવાણીના બહારવટામાં જાતે જોડાનાર એ મિયાણો હતો. એણે મને પેટ દીધું, સમસ્ત બહારવટાની કથા કહી, પોતે એ પ્રત્યેક કિસ્સાનો સાક્ષી જ માત્ર નહીં પણ સક્રિય પાત્ર હતો. ચારણ, ભાટો અને કથાકારો જ મને ઉટાંગ વાતો કહી ગયા છે એ માન્યતા ખોટી છે. ઘટનાનાં જીવતાં પાત્રો મને સાંપડ્યાં છે. તેમની વિશ્વસનીયતાને મેં ચકાસી જોઈ છે. તેમણે સારું-બૂરું બેઉ દિલ ખોલીને સંભળાવ્યું છે. તેમણે તો પોતાને વિશે પ્રચલિત કેટલીક અતિ શોભાસ્પદ અને ભભકભરી વાતોનો પણ સરળ ભાવે ઇનકાર કર્યો છે.
એ વૃદ્ધ મિયાણાના છેલ્લા શબ્દો — કલ્યાણકારી શબ્દો — ટાંચણમાંથી અહીં ઉતારીને હું તેને સલામો દઉં છું. “વાલો મોર : ઘઉંલો વાન : સામાન્ય કદનો : શરીરે મજબૂત : સ્વભાવ બહુ સાદો શાંત : કોઈ ગાળ દે તો પણ બોલે નહિ : કોઈ દી હસે નહીં : કોઈ દસ વેણ બોલે ત્યારે પોતે એક બોલે : સાંજ પડ્યે બંદૂકને લોબાન કરે : એની હાજરીમાં ભૂંડું બોલાય નહીં.”
આ બહારવટિયો! આ મિયાણો! આવા શીલવંતા કેવે કમૉતે ગયા! આમ કેમ થયું? પરચક્રને પ્રતાપે જ તો. બહાદુરોને બદમાશો કરી ટાળ્યા.
યેલું.)
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits