સોરઠી સંતવાણી/શિષ્ય કોને કરવો?


શિષ્ય કોને કરવો?

અંતઃકરણથી પુજાવાની આશા રાખે ને
એને કેમ લાગે હરિનો સંગ રે
શિષ્ય કરવા નહીં એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે —
ભાઈ રે અંતર નથી જેનું ઊજળું ને
જેને મોટાપણું મનમાંય રે —
તેને બોધ નવ દીજીએ ને
જેની વૃત્તિ હોય આંઈ ને ત્યાંય રે. — અંતઃકરણથી.
ભાઈ રે શઠ નવ સમજે સાનમાં ને
ભલે કોટિ કરે ઉપાય રે
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને
એવાની અંતે ફજેતી થાય રે. — અંતઃકરણથી.
ભાઈ રે એવાને ઉપદેશ કદી નવ દેવો ને
ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી.

[ગંગાસતી]