સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧૨ — ગાંધીજી વિષે કેટલીક ગેરસમજૂતીઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 64: Line 64:
છેલ્લાં વર્ષોમાં, ખાસ કરીને ગાંધીજીને જ્યારથી એ વાતની ગંધ આવી ગઈ હતી કે સ્વરાજ નક્કી આવે છે અને કદાચ એ ભાગલારૂપી કિંમત ચૂકવીને આવશે, ત્યારથી ગાંધીજીનું મન આવી કટોકટીને સમયે દેશમાં શાંતિ જળવાઈ રહે અને સ્વરાજ આવ્યા પછી દેશની સ્થિરતા જળવાઈ રહે એની ઉપર જ મંડાયું હતું. આવનાર સ્વરાજ ગાંધીજીના સપના મુજબનું તો નહોતું જ એ નક્કી હતું. પણ જે સ્વરાજ આવ્યું હતું તેમાં પ્રથમ શાંતિ જળવાય અને પછી ભવિષ્યમાં દેશમાં સ્થિરતા જળવાઈ રહે એની ઉપર ગાંધીજીનું ચિત્ત ખોડાયેલું હતું. શાંતિ-સ્થાપનાના મહાન પ્રયોગો તેમણે નોઆખલી, બિહાર, કલકત્તા અને દિલ્હીમાં કર્યા. કલકત્તાના ઉપવાસ પછી ગવર્નર જનરલ માઉન્ટબેટને વાજબી રીતે જ એમને લખ્યું હતું કે “પશ્ચિમમાં અમારા ૫૫૦૦૦ સૈનિકો તૈનાત છે. પૂર્વમાં અમારી સેના એક માણસની છે. લશ્કરના સેનાપતિ અને વહીવટકર્તા તરીકે મને, ૫૫૦૦૦ની અમારી સેના જે કામ પાર પાડી નથી શકી તે કામને એક માણસની સેનાએ પાર પાડ્યું. તે બદલ અભિનંદન આપવા દો.”
છેલ્લાં વર્ષોમાં, ખાસ કરીને ગાંધીજીને જ્યારથી એ વાતની ગંધ આવી ગઈ હતી કે સ્વરાજ નક્કી આવે છે અને કદાચ એ ભાગલારૂપી કિંમત ચૂકવીને આવશે, ત્યારથી ગાંધીજીનું મન આવી કટોકટીને સમયે દેશમાં શાંતિ જળવાઈ રહે અને સ્વરાજ આવ્યા પછી દેશની સ્થિરતા જળવાઈ રહે એની ઉપર જ મંડાયું હતું. આવનાર સ્વરાજ ગાંધીજીના સપના મુજબનું તો નહોતું જ એ નક્કી હતું. પણ જે સ્વરાજ આવ્યું હતું તેમાં પ્રથમ શાંતિ જળવાય અને પછી ભવિષ્યમાં દેશમાં સ્થિરતા જળવાઈ રહે એની ઉપર ગાંધીજીનું ચિત્ત ખોડાયેલું હતું. શાંતિ-સ્થાપનાના મહાન પ્રયોગો તેમણે નોઆખલી, બિહાર, કલકત્તા અને દિલ્હીમાં કર્યા. કલકત્તાના ઉપવાસ પછી ગવર્નર જનરલ માઉન્ટબેટને વાજબી રીતે જ એમને લખ્યું હતું કે “પશ્ચિમમાં અમારા ૫૫૦૦૦ સૈનિકો તૈનાત છે. પૂર્વમાં અમારી સેના એક માણસની છે. લશ્કરના સેનાપતિ અને વહીવટકર્તા તરીકે મને, ૫૫૦૦૦ની અમારી સેના જે કામ પાર પાડી નથી શકી તે કામને એક માણસની સેનાએ પાર પાડ્યું. તે બદલ અભિનંદન આપવા દો.”
સ્વરાજ પછી દેશની સ્થિરતા એ ગાંધીજીનો બીજો મુખ્ય પ્રશ્ન હતો. ગાંધીજીના મનમાં સરદારની ઉંમર અને તબિયત બંનેનો ખ્યાલ હતો. વર્ષોથી સરદાર પટેલ ગાંધીજીના દરદી હતા. અને તેમની તબિયત લથડી ગઈ હતી. એનું ગાંધીજીને ભાન હતું. દેશનો પહેલો વડાપ્રધાન જો ઝાઝો સમય ટકે નહીં તો એમના પછી વારસો કોણ સંભાળે એને અંગેના કજિયા પણ થાય. નહેરુ સરદારની સરખામણીમાં તરુણ અને તબિયતે સાજા હતા. સરદાર ખરેખર જ સ્વરાજ પછી અઢી વર્ષે ગયા જ્યારે નહેરુ સત્તર વર્ષ સુધી રહ્યા, અને તેમણે દેશને સ્થિરતા આપી એ હકીકતને કોઈ અવગણી ન શકે. સ્થિરતાની દૃષ્ટિએ ગાંધીજીએ એ વિચાર પણ કર્યો હોય તો નવાઈ નહીં કે સરદાર સૈનિક સ્વભાવના હતા. કોઈ પણ જગા પર રહીને તેઓ દેશની સેવા કરી શકે એમ હતા. તેમણે તેમ કરી પણ બતાવ્યું હતું, જ્યારે નહેરુનો સ્વભાવ કદી બીજા સ્થાને રહેવાનો નહોતો. એ પણ ખ્યાલ રાખવા જેવો છે કે પોતે મર્યા તેની થોડી ક્ષણો પહેલા જ થયેલી મુલાકાતમાં ગાંધીજીએ સરદારને જવાહરલાલજીની સાથે રહીને દેશની બાગડોર સંભાળવાની વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે પ્રાર્થના પત્યા પછી મળવા આવનાર પં. નહેરુને પણ તેઓ એ જ સલાહ આપવાના હતા.
સ્વરાજ પછી દેશની સ્થિરતા એ ગાંધીજીનો બીજો મુખ્ય પ્રશ્ન હતો. ગાંધીજીના મનમાં સરદારની ઉંમર અને તબિયત બંનેનો ખ્યાલ હતો. વર્ષોથી સરદાર પટેલ ગાંધીજીના દરદી હતા. અને તેમની તબિયત લથડી ગઈ હતી. એનું ગાંધીજીને ભાન હતું. દેશનો પહેલો વડાપ્રધાન જો ઝાઝો સમય ટકે નહીં તો એમના પછી વારસો કોણ સંભાળે એને અંગેના કજિયા પણ થાય. નહેરુ સરદારની સરખામણીમાં તરુણ અને તબિયતે સાજા હતા. સરદાર ખરેખર જ સ્વરાજ પછી અઢી વર્ષે ગયા જ્યારે નહેરુ સત્તર વર્ષ સુધી રહ્યા, અને તેમણે દેશને સ્થિરતા આપી એ હકીકતને કોઈ અવગણી ન શકે. સ્થિરતાની દૃષ્ટિએ ગાંધીજીએ એ વિચાર પણ કર્યો હોય તો નવાઈ નહીં કે સરદાર સૈનિક સ્વભાવના હતા. કોઈ પણ જગા પર રહીને તેઓ દેશની સેવા કરી શકે એમ હતા. તેમણે તેમ કરી પણ બતાવ્યું હતું, જ્યારે નહેરુનો સ્વભાવ કદી બીજા સ્થાને રહેવાનો નહોતો. એ પણ ખ્યાલ રાખવા જેવો છે કે પોતે મર્યા તેની થોડી ક્ષણો પહેલા જ થયેલી મુલાકાતમાં ગાંધીજીએ સરદારને જવાહરલાલજીની સાથે રહીને દેશની બાગડોર સંભાળવાની વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે પ્રાર્થના પત્યા પછી મળવા આવનાર પં. નહેરુને પણ તેઓ એ જ સલાહ આપવાના હતા.
<center>***
<center>***
{{Poem2Close}}
{{Poem2Close}}