૮૬મે/દયા ખાશો નહિ

From Ekatra Wiki
Revision as of 00:03, 30 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દયા ખાશો નહિ

હવે તમે મારી કોઈ દયા ખાશો નહિ,
તમે જો ચ્હાતા ન હો તો હવે મને ચ્હાશો નહિ.

દયા એ તો અહમ્ની અધમ અભિવ્યક્તિ,
એમાં નથી કોઈ શક્તિ, નથી કોઈ ભક્તિ;
એમાં નથી વિરક્તિ કે નથી અનુરક્તિ;
એવા અહમ્નો આસવ હવે મને પાશો નહિ.

હવે ભલે હું સદાય એકાંતમાં રહું,
ભલે હું સદાય એની એકલતા સહું;
પણ તમે તો ‘હું નહિ ચહું, નહિ ચહું.’
એવા અહમ્નો પ્રલાપ તારસ્વરે ગાશો નહિ.

૨૦૧૧