અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/આપણી જુદાઈનું

From Ekatra Wiki
Revision as of 11:37, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આપણી જુદાઈનું

ભરત ત્રિવેદી

આપણી જુદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું
આમ મારું આવવું ને તે પછી તારું જવું!

દર્પણો ચૂપચાપ છે આ ભવસૂના ઓરડે
ફર્ક કોને તે પછી છે હું રહું કે ના રહું!

શક્ય છે કે બંદગીનો કિન્તુ હશે કોઈ જવાબ
કશ્મકશમાં છું હવે કે હું નમું કે ના નમું!

આમ તો ખામોશ છે પણ તને થાતું ખરું?
રસ્મ જૂનીને નિભાવી હું ગઝલ આજે કહું!
(હસ્તરેખાનાં વમળ, ૧૯૮૮, પૃ. ૨૦)