એકોત્તરશતી/પર. સમાલોચક

From Ekatra Wiki
Revision as of 02:55, 1 June 2023 by Meghdhanu (talk | contribs) (Added Years + Footer)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સમાલોચક(સમાલોચક)

કહે છે કે બાપા પોતે બધી ચોપડીએ લખે છે, પણ મને તો કંઈ સમજાતું જ નથી કે તેઓ શું લખે છે! પેલે દિવસ તને એ વાંચી સંભળાવતા હતા, તું કશું સમજી હતી? સાચું કહેજે, મા! તો પછી આવું લખવાથી ફાયદો શો, કહે જોઉં! તારા મોંએ, મા, હું જેવી વાતો સાંભળુ છું તેવી તેઓ કેમ લખતા નથી? દાદીમાએ શું બાપાને કદી રાજાની કોઈ વારતા કહી નહિ હોય? એ બધી વારતાઓ તેઓ ભૂલી ગયા લાગે છે, નહિ?’ નહાવામાં મોડું થાય છે એ જોઈ મા, તું કેવળ બૂમો પાડ્યા જ કરે છે. ખાવાનું લઈને તું બેસી જ રહે છે એ વાત એમના મનમાંયે રહેતી નથી. બસ, આખો વખત લખવા લખવાની રમત કર્યા કરે છે, બાપાના ઓરડામાં હું રમવા જાઉં તો તું મને તોફાની છોકરો કહે છે, અને જરા ગરબડ કરું તો તું મને વઢે છે કે જોતો નથી, બાપા ઓરડામાં લખે છે તે! પણ મા, સાચુ કહે તો, લખવાથી ફળ શું? સપ્ટેમ્બર, ૧૯૦૩ ‘શિશુ’

(અનુ. રમણલાલ સોની)