કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૬. કવિને પ્રશ્ન

From Ekatra Wiki
Revision as of 09:43, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬. કવિને પ્રશ્ન

નલિન રાવળ

તાજા કબરમાંથી ઊઠેલા આ બધા ક્યાં જાય છે?
શ્રોતા?
કબરમાં ક્યાંક મૂકી કાન આવેલા.
નગરના એક સાંસ્કૃતિક કલાકેન્દ્રે (ઉકરડે)
આ હવે
સૌ વસ્ત્ર કાઢી તાળીઓ પાડે – કૂદે – નાચે
નવસ્રા નાચતા આ કવિની સાથ
જે વાંચી રહ્યો છે કાવ્ય
સડતા શબ્દની ચિરૂટ સળગાવી
કવિને પ્રશ્ન
જો પુછાય તો
પૂછું
તું કેમ?
આ ભાષા કુંવારી સાથ
વ્યંઢળ જેમ નિર્લજ્જ ક્યારનો વર્તી રહ્યો છે.
(અવકાશપંખી, પૃ. ૩૩)