કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૪.ક્યારે વૃત્તિ થાય અને...

From Ekatra Wiki
Revision as of 08:52, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૪.ક્યારે વૃત્તિ થાય અને...

લાભશંકર ઠાકર

ટેબલ પર તાજું સફરજન શબ્દનું
બાજુમાં કાચની સ્વચ્છ ડિશ જેવો કાગળ
હાથમાં
ચકચકિત છરી જેવી
ધોઈને સાફ કરેલી પેન.
રાહ જોઉં છું
ક્યારે વૃત્તિ થાય
અને...
(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૩૫)