કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૦. દશા અને દિશા

From Ekatra Wiki
Revision as of 12:41, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. દશા અને દિશા|}} <poem> દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ નથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૦. દશા અને દિશા


દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ;
દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રૂજનારાઓ.
કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ!
દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી.
(દીપ્તિ, પૃ. ૭૭)