કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૮. અનહદનો સૂર

Revision as of 15:53, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૩૮. અનહદનો સૂર}} <poem> શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ, {{Space}}મને આપો એક અનહદનો સૂર, એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર {{Space}}વાગે છે ક્યારનાં નૂપુર. હમણાં હમણાં આ શીળી રાતનો સમીર {{Space}}મારાં વ્હૈ જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૮. અનહદનો સૂર

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
         મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
         વાગે છે ક્યારનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
         મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
         ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
         લઈ લો આ આંખડીનાં નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
         અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
         યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
         હવામાં મારાં ખાલી વેરાતાં કપૂર.
૬–૯–’૭૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૩-૩૧૪)