ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપમચંદ

Revision as of 09:17, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનોપમચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભ (રાજ્યકાળ ઈ.૧૭૪૮ - ઈ.૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : અરત્નસાર. [શ્ર.ત્રિ.]