ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદસાર

From Ekatra Wiki
Revision as of 05:55, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આનંદસાર [ઈ.૧૫૦૫માં હયાત] : જૈન સાધુ. ‘અજિતનાથ-સ્તવન’ (૨. ઈ.૧૫૦૫)ના કર્તા. આનંદસારને નામે ૭૨ કડીની ‘નેમિનાથ-સ્તવન’ તથા ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’ એ કૃતિઓ મળે છે તે આ કવિની હોવા સંભવ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧ [કુ.દે.]