ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસાગર-ઉદયસાગર-મુનિ-ઉદયસાગર-સૂરિ'

From Ekatra Wiki
Revision as of 10:50, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉદયસાગર/ઉદયસાગર(મુનિ)/ઉદયસાગર(સૂરિ) : ઉદયસાગરને નામે મૂળ પ્રાકૃત કૃતિ ‘લોકનાલિકાદ્વાત્રિંશિકા-પ્રકરણ’ ઉપર ૩૨૫ ગ્રંથાગ્રનો બાલાવબોધ (લે.ઈ.૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘ગુરુ-સઝાય’, ૫ કડીની ‘શંખેશ્વર-પાર્શ્વનાથના ચંદ્રાવળા’(મુ.) અને ઉદયસાગરસૂરિને નામે ૩૩ કડીની ‘તીર્થમાલા’ (લે. સં. ૧૭મી સદી અનુ.) તથા ઉદયસાગર મુનિને નામે ૩ ઢાળ અને ૨૭ કડીનું ‘આત્મનિંદાગર્ભિત-સીમંધરસ્વામી-સ્તવન’ (લે. ઈ.૧૬૧૪, સ્વલિખિત; મુ.) મળે છે. તેમાંથી છેલ્લી કૃતિના કર્તા ઉદયસાગર-૧ હોવાની શક્યતા ગણી શકાય. બાકીની કૃતિઓના કર્તા વિશે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીશ તીર્થંકરાદિના ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫; ૨. જિસ્તકાસંદોહ:૧. સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]