ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલચંદ-૧

Revision as of 07:15, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ખુશાલચંદ-૧ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન. ‘ચંદખુશાલ’ની નામછાપ ધરાવતા, એમના રાજિમતીના વિરહોદ્ગારો રૂપે રચાયેલા દુહા-ઢાળબદ્ધ ૨૮ કડીના ‘નેમિજિન-બારમાસા’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૧, ગુરુવાર; મુ.) રાજસ્થાની-હિન્દીની છાંટવાળી ભાવમધુર ભાષાભિવ્યક્તિ અને સુગેયતાથી ધ્યાનપાત્ર બને છે. ‘પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ’ આ કવિનું નામ ‘ચંદ્રખુશાલ’ આપે છે. કૃતિ : પ્રામબાસંગ્રહ:૧. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ચ.શે.]