ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલચંદ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખુશાલચંદ-૨ [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ધર્મદાસજીની પરંપરામાં રાયચંદના શિષ્ય. ૬૪ ઢાળની ‘અરદાસચરિત્ર/અર્હદાસ-ચરિત્ર/સમ્યક્ત્વકૌમુદી-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, વૈશાખ સુદ ૧૩, ગુરુવાર) તથા ‘દેવસેન-રાસ’ના કર્તા. ખુશાલચંદને નામે હિંદીમિશ્ર ગુજરાતી ભાષાની ૧૬ કડીની ‘જંબૂસ્વામીની લાવણી’ (ર.ઈ.૧૮૧૪/સં ૧૮૭૦, અસાડ ધુરપક્ષ -; મુ.) તથા ખુશાલચંદજીને નામે ૧૬ કડીની ‘કામદેવની સઝાય’ (ર.ઈ.૧૮૩૦; મુ.) મળે છે તે સમયદૃષ્ટિએ જોતાં આ જ ખુશાલચંદ હોવા સંભવ છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨.જૈસસંગ્રહ (જૈ.); ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]