ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરત્ન સૂરિ-૨

Revision as of 12:26, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુણરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને જ્ઞાનસાગર (ઈ.૧૫મી ઉત્તરાર્ધ)ના ગુરુબંધુ. ૧૪૩ કડીના ‘આદિનાથ/ઋષભ-રાસ’ તથા ૩૯૭/૪૬૩ કડીના ‘ભરત-બાહુબલિપવાડુ/પ્રબંધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]