ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરત્ન સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણરત્ન(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. દર્શનશાસ્ત્રના વિદ્વાન આ સૂરિએ સંસ્કૃત ભાષામાં ‘ક્રિયારત્નસમુચ્ચય’ (ર.ઈ.૧૪૧૦; *મુ.) રચ્યો છે તેમાં તત્કાલીન ગુજરાતી ભાષાનાં ક્રિયાપદરૂપોનું પણ સદૃષ્ટાંત નિરૂપણ કરેલું છે. આ ઉપરાંત, ગુણરત્નસૂરિએ સંસ્કૃતમાં ‘કલ્પાંતરવાચ્ય’ (ર.ઈ.૧૪૦૧), હરિભદ્રસૂરિકૃત ‘ષટ્દર્શનસમુચ્ચય’ પર ટીકા, સપ્તતિકા આદિ કેટલાક ધાર્મિક ગ્રંથોની અવચૂરિઓ (ર.ઈ.૧૪૦૩) તથા અન્ય ગ્રંથો રચ્યાં છે. કૃતિ : * ક્રિયારત્નસમુચ્ચય, પ્ર. યશોવિજયજી જૈન પાઠશાળા, ઈ.૧૯૦૮. સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. ગુસાઇતિહાસ:૧; ૩. જૈસાઇતિહાસ.[ક.શે.]