ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-૩

Revision as of 12:28, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુણવિજય-૩ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિની પરંપરામાં કુંવરવિજયના શિષ્ય. વિજયાણંદસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૨૦-ઈ.૧૬૫૫)માં રચાયેલ ૫ ઢાળ અને ૪૯ કડીના ‘ગુણમંજરીવરદત્ત/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ તથા ૧૧ કડીની ‘ઋષભદેવ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ:૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧;[ક.શે.]