ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય વાચક-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણવિજય(વાચક)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં કમલવિજયના શિષ્ય વિદ્યાવિજયના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧૩ કડીમાં વિજયસિંહસૂરિને આચાર્યપદ મળ્યું ત્યાં સુધીનું વૃત્તાંત, સર્વ આનુષંગિક ઐતિહાસિક માહિતી ગૂંથી લઈને, માંડીને વર્ણવતા એમનો ‘વિજયસિંહસૂરિવિજયપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, આસો સુદ ૧૦; મુ.) તથા ૫૪ કડીનો ‘વિજયસેનસૂરિનિર્વાણ-રાસ/વિજયસેનસૂરિ-સઝાય’ એમાંની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. આ કવિએ, આ ઉપરાંત, ૯૫ કડીની ‘નેમિજિન/નેમીશ્વર-ફાગુ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૬૮૧, વસંત માસ-; મુ.), ૮૪ કડીની ‘(બંભણવાડમંડન)મહાવીરફાગ-સ્તવન’, ‘શીલ-બત્રીસી’ (મુ.), ‘સાતસોવીસ-જિનનામ/તીર્થંકર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, ચૈત્ર -, રવિવાર) તથા ૧૩ કડીની ‘સામાયિક-સઝાય’ એ કૃતિઓ રચેલી છે. તેમણે સંસ્કૃતમાં હેમવિજયકૃત અપૂર્ણ ‘વિજયપ્રશસ્તિ’માં છેલ્લા ૫ સર્ગો ઉમેરી સમગ્ર પર ‘વિજયદીપિકા-ટીકા’ (ર.ઈ.૧૬૩૨) તથા ‘કલ્પકલ્પલતાટીકા’ રચેલ છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. ઐસમાલા:૧; ૩. જિસ્તકાસંદોહ:૧; ૪. જૈઐકાસંચય(+સં.);  ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૮૦ - ‘કવિ ગુણવિજયકૃત નેમીશ્વર ફાગુ’, સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ,  ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. લીંહસૂચી. [ક.શે.]