ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણહર્ષશિષ્ય

Revision as of 12:34, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુણહર્ષશિષ્ય [               ]: જૈન. ૨૩ કડીની ‘જિનદાસ-સોભાગદે-સઝાય/શિયલપાલન-સઝાય’ (મુ.)ના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે પરંતુ ૪ કડીની ‘અગિયારશની સ્તુતિ’(લે.ઈ.૧૭૧૩) અને ૧૭ કડીની ‘ગૌતમસ્વામી-સ્તવન’ એ કૃતિઓના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય છે કે અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકતું નથી. જુઓ લબ્ધિવિજય. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[કી.જો.]