ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયરંગ-૨

Revision as of 06:40, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયરંગ-૨ [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં નેણચંદ્રના શિષ્ય. ૨૩ ઢાળની ‘ભૃગુપુરોહિત-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, મહા/ચૈત્ર વદ ૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ક.શે.]