ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયરાજ

Revision as of 06:41, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયરાજ [ઈ.૧૪૯૭માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈનસાધુ. મુનિચંદ્રસૂરિના શિષ્ય. લગભગ ૧૬૧ કડીના, ચોપાઈબંધમાં રચાયેલા ‘મત્સ્યોદર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૯૭)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી[શ્ર.ત્રિ.]