ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવર્ધમાન સૂરિ

From Ekatra Wiki
Revision as of 11:44, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જિનવર્ધમાન(સૂરિ) [ઈ.૧૬૫૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવર્ધનસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૩૧ ઢાલની ‘ધન્નાઋષિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, આસો સુદ ૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[ર.સો.]