ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનચંદ્ર-૨

Revision as of 05:10, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગર (ઈ.૧૬૨૯ હયાત)ના શિષ્ય. ૧૭ કડીની ‘જુગબાહુજિનવિનંતી-સ્તવન’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કા.શા.]