ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનચંદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સોરઠગચ્છના જૈન સાધુ. ક્ષમાચંદ્રસૂરિની પરંપરામા ંવીરચંદ્રસૂરિના શિષ્ય. એમની ૩ ખંડ અને દુહા, ચોપાઈ, વસ્તુ વગેરે છંદોની ૧૦૩૪ કડીની ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’  (ર.ઈ.૧૫૪૩/સં. ૧૫૯૯, માગશર સુદ ૧૦, ગુરુવાર) પ્રાસાદિક વાર્તાકથન તેમ જ આલંકારિક વર્ણનો તથા સુભાષિતોની ગૂંથણીને કારણે આ વિષયની જૈન કૃતિઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેમણે ૩ ખંડ અને ૯૧૮ કડીની ‘વંકચૂલનો પવાડો/રાસ’ (ર.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, ચૈત્ર સુદ ૬, ગુરુવાર) તથા વેતાલપચીસીકથા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૭/સં. ૧૫૯૩, શ્રાવણ વદ ૯, ગુરુવાર) આ રાસકૃતિઓ રચેલી છે. સંદર્ભ : ૧. સ્વાધ્યાય ઑક્ટો. ૧૯૬૩-‘જ્ઞાનચંદ્રની ‘સિંહાસનબત્રીસી’, રણજિત પટેલ’ (અનામી);  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. મુપુગૂહસૂચી.[કા.શા.]