ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનચંદ્ર-૪

Revision as of 05:11, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનચંદ્ર-૪ [               ]: જૈન સાધુ. વિશેષચંદના શિષ્ય. ચંદાને સંદેશા રૂપે રચાયેલી ૧૮ કડીની ભાવપ્રવણ ‘બારમાસ’ (મુ.) અને ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા. પહેલી કૃતિ ભૂલથી વીરચંદશિષ્ય જ્ઞાનચંદને નામે અને બીજી કૃતિ વિશેષચંદ નામે નોંધાયેલી છે. કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ-ચૈત્ર ૧૯૮૬- - ‘જ્ઞાનચંદકૃત બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]