ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૪

Revision as of 05:16, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનવિજય-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય. ૭ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, માગસર સુદ ૩; મુ.) તથા ‘શાંતિનાથ-વિનતિ’ના કર્તા. ‘શાંતિનાથ વિનતિ’ ભૂલથી લક્ષ્મીપ્રતાપને નામે નોંધાયેલી છે. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]