ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાતિલક-૧

Revision as of 12:20, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દયાતિલક-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદસૂરિના શિષ્ય રત્નવિજયના શિષ્ય. ૧૭ ઢાળના ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, કારતક-), ‘વિક્રમાદિત્ય-રાસ’ અને ‘ભવદત્ત-ભવિષ્યદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, જેઠ સુદ ૧૧ સ્વહસ્તાક્ષરની પ્રત)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]