ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારુચિ ગણિ

Revision as of 12:23, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દયારુચિ(ગણિ) [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રૂપરુચિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧ ઢાળમાં સમેતશિખર અને તેની ટૂંકોનું વર્ણન તેમ જ એ ટૂંકો સાથે સંકળાયેલા તીર્થંકરોના ચરિત્ર અને મહિમાના આલેખન દ્વારા તીર્થમહિમા અને તદ્જન્ય ભક્તિનું પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા ‘સમેતગિરિ ઉદ્ધાર-રાસ’ (ર. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, મહા સુદ ૫ (?); મુ.)ના કર્તા. કૃતિ : સમેતશિખર મહાતીર્થ, સં. મુનિ અભયસાગર, સં. ૨૦૧૭ (+સં.).[ર.ર.દ.]