ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૪

Revision as of 13:22, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વિજ્યસિંહસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૨૬થી ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૬ ઢાળની ‘પંચરમેષ્ઠી-સઝાય’ (મુ.), ૯ કડીની ‘ચૌદ નિયમની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ/દશમની સ્તુતિ’ના કર્તા. કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]