ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ-૨

Revision as of 13:00, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મદાસ-૨ [ઈ.૧૬મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્ર (દીક્ષાકાળ ઈ.૧૫૧૯-ઈ.૧૫૭૦)ના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર’ પરના સ્તબક તથા ૬ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]