ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્યશિષ્ય

Revision as of 06:59, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નયવિજ્યશિષ્ય : આ નામે મળતી કેટલીક કૃતિઓમાંથી ૫ કડીનું ‘મલ્લિનાથ-સ્તવન’(મુ.) તથા ૪ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, એ નયવિજ્યશિષ્ય યશોવિજ્યની કૃતિઓ હોવાનું નિશ્ચિત થાય છે. તે ઉપરાંત ૨૧ કડીનું ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ’ (મુ.) પણ યશોવિજ્યની કૃતિ ગણવામાં આવી છે. પરંતુ અન્ય ૨ ‘વીરજિન-સ્તવન’(મુ.), ‘ગૌતમ-સ્તુતિ’ અને ‘ચંદના-સઝાય’ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨. ૨. જિસ્તમાલા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]