ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નર્બદ

Revision as of 07:12, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નર્બદ [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. તપગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. તેમના નામે ૪૧ કડીનો ‘વિમલમંત્રી-રાસ’ (ર.ઈ.૧૪૧૪/સં.૧૪૭૦, ફાગણ,-સોમવાર) મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]