ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથજી

Revision as of 12:23, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાથજી [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. ‘કવિચરિત’ આમને જુદા ગણે છે. ‘વીનતી’ (ર.ઈ.૧૬૪૮/૧૭૨૮)ના કર્તા. જુઓ અનુભવાનંદ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી.[ર.સો.]