ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાથાજી [ઈ.૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. લાઘાજી (ઈ.૧૭૦૦-૧૭૫૧ દરમ્યાન હયાત)ના શિષ્ય. થરાદના વતની. પિતા જેમલ વોરા. માતા બાઈ વેજી. ૧૩ વર્ષની વયે તેઓ સંવરી થયેલા. તેમની પાસેથી અનુક્રમે ૭ કડી અને ૫ કડીની એમ ૨ ‘શ્રીભાસ’(મુ.) એ કૃતિઓ મળી છે. કૃતિ : કડુઆમતીગચ્છપટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯(+સં.). [શ્ર.ત્રિ.]