ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મવિજય-૨

From Ekatra Wiki
Revision as of 11:23, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ્મવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદશિષ્ય શુભવિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’ (ખંડ-૧, ર.ઈ.૧૬૫૯), ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૦/ક્ષં. ૧૭૨૬, ચૈત્ર સુદ ૧૫, મંગળવાર) તથા ‘૨૪ જિનનું સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  જૈગૂકવિઓ : ૧, ૩(૨); [ર.સો.]