ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિવિજય-૪

From Ekatra Wiki
Revision as of 10:35, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભક્તિવિજય-૪ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેકમંજરી-પ્રકરણવૃત્તિ’ પરના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ચતુરવિજય અને મોતીવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલો છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]