ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુચંદ યતિ

From Ekatra Wiki
Revision as of 10:49, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાનુચંદ(યતિ) [ઈ.૧૫૨૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ૨૫ કડીની ઐતિહાસિક કૃતિ ‘દયાધર્મ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૨/સં.૧૫૭૮, મહા સુદ ૭; મુ.)ના કર્તા. લોંકાગચ્છના ભાણચંદને નામે ૩૩ કડીની ‘નેમરાજુલ-ગીત’ નામની રચના પણ નોંધાયેલી છે, જે આ જ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : *શ્રીમાન લોંકાશાહ,-. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]