ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંછારામ-૧

From Ekatra Wiki
Revision as of 15:50, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મંછારામ-૧ [ઈ.૧૮૦૧માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાની પાસે વાઘોડિયાના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. નિરાંતે તેમને પદ રૂપે લખેલા પત્ર (ર.ઈ.૧૮૦૧) પરથી એમનો સમય નિશ્ચિત થઈ શકે છે. પ્રારંભમાં નિરાંતના ટીકાકાર, પરંતુ પાછળથી નિરાંતના શિષ્ય. કૃષ્ણગોપીના વિરહનું ૧ ‘તિથિકાવ્ય’ તથા બીજાં કાવ્યો તેમણે રચ્યાં હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકામાળા : ૧૦;  ૩. ગૂહાયાદી. [દ.દ. , ર.સો.]