ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિચંદ્ર

Revision as of 04:28, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુનિચંદ્ર : આ નામે ૮ કડીની ‘આદીશ્વર-હરિયાલી’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૯ કડીની ‘વૈરાગ્યરંગ-સઝાય’, હિંદી-ગુજરાતીમિશ્ર ૧૪ કડીની ‘ભાવિભાવનો સ્વાધ્યાય’(મુ.), ૨૪ કડીનો ‘ઉપદેશામૃતકુલક’, સિદ્ધચક્ર-ચોપાઈ’ અને ‘તીર્થમાલા’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા આ મુનિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. સઝાયમાલા (શ્રા) : ૧. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પાંગુહસ્તલેખો;  ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]