ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘવિજ્ય

From Ekatra Wiki
Revision as of 04:52, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મેઘવિજ્ય : આ નામે ૧૨ કડીની ‘જ્ઞાનવિવેક-સઝાય’, ૭ કડીની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૩૭ કડીની ‘સંવેગઉપલક્ષણ-સઝાય’ (લે.સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ અને ૫ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ’(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા મેઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તમાલા. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]