ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોલાભ

Revision as of 15:25, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યશોલાભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની સાગરશાખાના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં ગુણસેનના શિષ્ય. ‘સનત્કુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૬૩૬, શ્રાવણ સુદ ૧૧), ૩૬ ઢાળની ‘ધર્મસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦; જેઠ સુદ ૧૩) અને ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]