ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનબાઈ-૨

From Ekatra Wiki
Revision as of 06:20, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રતનબાઈ-૨ [ઈ.૧૭૮૧માં હયાત] : જ્ઞાનમાર્ગી સ્ત્રીકવિ. અમદાવાદનાં વતની. જ્ઞાતિએ નાગર. અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજી એ જ એમનાં પિતા અને ગુરુ. પિતાના સંતજીનથી પ્રભાવિત થઈ પતિની અનુમતિ લઈ એમણે સંસારનો ત્યાગ કરેલો. એમનાં ગુરુમહિમાનાં અને જ્ઞાનવૈરાગ્યનાં ૧૧ પદ(મુ.) મળે છે. કૃતિ : સન્તોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.). સંદર્ભ : ૧. અસપરંપરા; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫. [ચ.શે.]