ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નશેખર સૂરિ-શિષ્ય

From Ekatra Wiki
Revision as of 04:10, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રત્નશેખર(સૂરિ)/શિષ્ય : આ નામે ‘શત્રુંજ્યસંઘ-યાત્રાવર્ણન’ (ર.ઈ.૧૬૭૯), ૩૩/૪૦ કડીની ‘ગિરનારચૈત્ય-પરિપાટી/ચૈત્યપ્રવાડી-વિનતિ’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૯૪ કડીની ‘ચિત્રકોટચૈત્ય-પ્રવાડી’ (લે.સં.૧૭મી સદી), ૨૧ ‘હુબડા’, ૩૬/૪૧ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’, ‘શાશ્વતજિન ચૈત્ય-પરિપાટી’ (લે.સં.૧૭૯૮), ‘આવશ્યકસૂત્ર પ્રથમ પીઠિકા-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૪૫), ‘અવશ્યકસૂત્ર નિર્યુક્તિ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૬૪) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા રત્નશેખરસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ-પરિશિષ્ટ’;  ૨. મુપુગૂહસૂચી.[કી.જો.]