ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય

Revision as of 04:53, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શુભવિજ્ય : આ નામે ૧૦૬ કડીનું ‘સીમન્ધરજિન છ આરાનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૪), ૬ કડીનું ‘ચૌદસ બાવન ગણધર ચૈત્યવંદન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૮૧ ગ્રંથાગ્રનું ‘મહાવીર-સ્તવન’, ‘લોઢણ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ‘ક્ષેત્રસમાસ-સ્તબક’ (લે.ઈ.૧૮૭૮), ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ચોમાસીદેવવંદન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શુભવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]