ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવર્ધન-પંડિત-શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શુભવર્ધન(પંડિત)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૬૫૬ કડીની ‘અષાઢભૂતિ-રાસ/ચતુષ્પદિ’, ૮૬/૯૬ કડીની ‘ગજસુકુમાર-રાસ/ગીત/સઝાય’ (ર.ઈ.૧૫૩૫), ‘સ્થૂલિભદ્ર-રાસ’, ૩૧ કડીની ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૭), ૧૯ કડીની ‘મન:થિરીકરણ-સઝાય’, ‘અઢાર નાતરાનું ચોઢાળિયું’, ૯૮ કડીની ‘દેવકીજીના ઢળિયા’, ‘ચેલણાજીનું ચોઢાળિયું’, ‘જીરાઉલા-ભાસ’, ‘નેમિનાથ-ભાસ’, ‘મેતાર્યઋષિ-ભાસ’, ૨ ‘રજિમતી-ભાસ’, ‘ચાર-ગતિની ઢાળો’, ‘વિદ્યાસાગરસૂરિ-ભાસ’, ‘સમકિત-ભાસ’, ‘સમવસરણ-ભાસ’ તથા ‘શત્રુંજ્ય-ભાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય, રાસ સંદોહ’, હીરાલાલ ર. કપડિયા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]