ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસુખનિધિભાઈ

Revision as of 05:34, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રીસુખનિધિભાઈ [ઈ.૧૭૭૯માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના કવિ. તેઓ ગોધરાના મોટાભાઈની નાની બેનના દીકરા થાય. તેમણે ‘શ્રી વલ્લભરત્નરસાવલી’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૨૫, પોષ સુદ ૭) નામનો ગ્રંથ તથા ‘વલ્લભદાસ’ એવી નામછાપથી ઘણાં ધોળ તથા પદની રચના કરી છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ. [કી.જો.]