ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-મુનિ-૧

Revision as of 05:38, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રુતસાગર(મુનિ)-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યસાગરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નના શિષ્ય. ૧૯ ઢાળ અને ૨૦૮ કડીના ‘શ્રીદત્ત (વૈરાગ્યરંગ)-રાસ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, આસો વદ ૧૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]