ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રુતસાગર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય. ‘ઋષિમંડલ’ ઉપર રચેલા બાલાવબોધ (ર.ઈ.૧૬૧૪) તથા સંસ્કૃતકૃતિ ‘ચતુર્દશીપાક્ષિકવિચાર’ (ર.ઈ.૧૬૨૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]